કોરોના કેર સેન્ટર માટે એડન હિલ ગ્રુપના રાજુભાઇ પટેલે રૂ.1 લાખનું અનુદાન જાહેર કર્યું

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત તમામ સમાજ માટેના કોવિડ કેર સેન્ટર માટે દાનનો પ્રવાહ અવિરત

મોરબી : મોરબીમાં કોરોના મહામારીની વિકરાળ સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટર માટે મેડિકલ સહિતની સુવિધા માટે મોરબી અપડેટ દ્વારા રૂપિયા 50 હજારનું અનુદાન જાહેર કર્યા બાદ દાનની સરવાણી શરૂ થઈ છે. જેમાં મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને એડન હિલ ગ્રુપ વાળા રાજુભાઇ પટેલ દ્વારા રૂ. 1 લાખનું અનુદાન આદર્શ નિવાસી શાળામાં ચાલતા કોવિડ કેર સેન્ટર માટે આપવામાં આવ્યું છે.

- text