વાંકાનેરમાં માનવતા મહેકી : હોમ ક્વોરન્ટાઇન લોકોને વિનામૂલ્યે જમાડવાનો સેવાયજ્ઞ

- text


 

જય ગોપાલ ભોજન સેવા દ્વારા લોકોના ઘરે કરવામાં આવતી ભોજનની ડિલિવરી

વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાના કપરા કાળમાં માનવતા મહેકી ઉઠી છે. અહીં જય ગોપાલ ભોજન સેવા દ્વારા ક્વોરન્ટાઇન પરિવારોને ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. આ તમામ કાર્ય વિનામૂલ્યે કરવામાં આવતું હોય આ સેવાકાર્યને ઠેર ઠેરથી બિરદાવવામાં આવી રહ્યું છે.

કોરોનાની મહામારીએ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં અમુક લોકો ખિસ્સા ભરી રહ્યા છે. તો અમુક લોકો માનવતા હજુ જીવંત હોવાના પુરાવા આપી સેવાકાર્યનો ધમધમાટ પણ ચલાવી રહ્યા છે. આવું જ સેવા કાર્ય વાંકાનેર શહેરમાં પણ થઈ રહ્યું છે. જેમાં જય ગોપાલ ભોજન સેવા દ્વારા જે પરિવાર હોમ ક્વોરન્ટાઇન હોય અને જમવાનું બનાવી શકે તેવી પરિસ્થિતિ ન હોય તેને ઘરે અથવા હોસ્પિટલમાં જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે.

- text

આ સેવાનો લાભ લેવા માટે સવારે 10થી 1 વાગ્યા સુધીમાં નાગજીભાઈ ચાવડા મો.નં. 9879009228 ઉપર વોટસએપ કરવાનું રહેશે. અથવા તો કોલ કરવાનો રહેશે.

- text