મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ

- text


જિલ્લા પંચાયતે તમામ તૈયારી બાદ અચાનક જ કાર્યક્રમ રદ કરાયો

મોરબી : મોરબીની નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું આવતીકાલે તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું હતું. પરંતુ આજે છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયું છે.

- text

મોરબી જિલ્લા સેવાસદન ખાતે તૈયાર કરાયેલ નવું જિલ્લા પંચાયત સંકુલ બે વર્ષથી લોકાર્પણની રાહમાં છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલે તા.8 ના રોજ નવનિર્મિત કચેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીની સ્થિતિ જોતા આ ઈ-લોકાર્પણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હોવાનું આજે જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા જાહેર કરાયું છે.

- text