- text
ટંકારા તાલૂકા ગ્રાહક સુરક્ષા મંડળની ચેરમેનને રજુઆત
ટંકારા : કોરોનાના કારણે ખેડૂતનું મોત થયા બાદ પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે વીમા કવચમાં કોરોના રોગને આવરી લેવા માટે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આરડીસી બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાને રજૂઆત કરવામાં આવી છે.
- text
રજુઆતમાં ગૌતમભાઈ વામજાએ જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણા ખેડૂતોના ભોગ લેવાય છે. આ વેળાએ ખેડૂત પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. આરડીસી બેંક રાજકોટ હરહંમેશા ખેડૂતોની સાથે ઉભી રહી છે. ત્યારે ખેડૂતો પરિવારનો સહારો બની ખેડૂતો વીમા કવચ ચાલુ છે તેમાં કોરોના વાયરસથી થતું મૃત્યુ સમાવી ખેડૂતોને સાથ આપવામાં આવે.
- text