મોરબી : મગનભાઈ વડાવીયા સહિતના અગ્રણીઓને પ્રદેશ ભાજપ કારોબારીમાં સ્થાન

- text


મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા કારોબારી સમિતિ જાહેર કરવામા આવી છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સહકાર અગ્રણી મગનભાઈ વડાવીયા સહિતના અગ્રણીની નિમણૂક થતા અભીનંદન વર્ષા થઈ રહી છે.

- text

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય અને આમંત્રિત સભ્યોની નિમણૂક કરી છે. જેમાં મોરબી યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબીના પૂર્વ ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, અનિલ મહેતા, કાળુભાઇ કાંકરેચા સહિતનાઓની નિમણુંક કરાતા તમામ અગ્રણીઓને શુભકામનાઓ મળી રહી છે.

- text