- text
કોરોના સામે સાવચેતી રાખવા પોલીસ દ્વારા પ્રેરક કામગીરી
(કેતન ભટ્ટી) વાંકાનેર : સમગ્ર મોરબી જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ ઉપરાંત હવે પોલીસ તંત્ર પણ જાગૃત બન્યુ છે, વાંકાનેર નાં પોલીસ વિભાગ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતાં વાહન ચાલકો ને 500 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ વાંકાનેર પીએસઆઇ બી. ડી. જાડેજા, એએસઆઈ નજરૂદિનભાઈ, ડી. એ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અકીલ હાસમ સહિતનાં પોલીસ સ્ટાફે આજરોજ ધોમધખતા તાપ વચ્ચે પણ વાંકાનેર બાઉન્ડ્રી પાસે 500 જેટલા માસ્ક નું વિતરણ કર્યું હતું, અને સાવચેતી એજ સલામતીનો સંદેશ આપી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
- text
- text