બગથળા પાસે નિરણના જથ્થામાં આગ : બે ગાય – બે ભેંસ દાઝી ગઈ

- text


 

મોરબી : મોરબીના બગથળા ગામ પાસે એક વાળામાં નિરણના જથ્થામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં બે ગાય અને બે ભેંસ દાઝી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંદાજે રાત્રે 9:30 આસપાસ બન્યો હતો. આ અંગેની જાણ થતાં ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ લખાઈ છે ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડે બેથી ત્રણ ફેરા કરી પાણીનો મારો ચલાવ્યો છે. આગ ઓલાવવા હજુ બીજા ચારથી પાંચ ફેરા કરવા પડે તેવો અંદાજ છે. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના દિનેશભાઈ પડાયા, કાર્તિકભાઈ ભટ્ટ, વિજયભાઈ પંડ્યા, પ્રીતેશ નગવાડિયા, ચંદુભાઈ રાઠોડ, વિપુલભાઈ સહિતના રોકાયેલ છે.

- text