મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટી અંગે તાલીમ અપાઈ

- text


નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા સહિતની ટીમે માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીમાં ગત તા. 9ના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નગરપાલિકાના ચીફ ઑફિસર ગીરીશભાઇ સરૈયા અને તેમની ટીમે મુલાકાત લીધી હતી. તેઓએ ફાયર સેફ્ટીના સાધનો બતાવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કોઇપણ સ્થળે આગ લાગે ત્યારે આગને કઈ રીતે બુજાવવી, આગથી કઈ રીતે બચવું અને તેમાં ફસાયેલા લોકોનો કેવી રીતે બચાવ કરવો, તેમજ પાણીમાં ડૂબતા વ્યક્તિને કેવી રીતે બચાવવો. આ તમામ બાબતોનું તેમણે વિદ્યાર્થીઓને ડેમો દેખાડી માર્ગદર્શન આપ્યું હતું. ગુરુકુલના વિદ્યાર્થીઓને તેમણે વિશેષ જાણકારી આપી અને માહિતગાર કર્યા, તે બદલ મોરબી ગુરુકુલના સંચાલક જ્ઞાનજીવનદાસ સ્વામીએ શુભાશિષ અને પ્રસાદી આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text