મોરબી : રામધન આશ્રમમાં 20મીથી ભાગવત સપ્તાહ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં કોરોનાના લીધે મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ સ્થાને બાળવિદુષી રતનબેન શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. આ કથા આગામી તા. 20થી તા. 26 સુધી સવારે 9થી 11 વાગ્યા સુધી રામધન આશ્રમ ખાતે યોજાશે.

કથા અંતર્ગત તા. 20ના રોજ બપોરે 2 કલાકે પોથીયાત્રા રામજી મંદિરથી નીકળી કથા મંડપ પહોંચશે. કથામાં તા. 20ના રોજ કથા માહાત્મ્ય, તા. 21ના રોજ પરીક્ષિત જન્મ, તા. 22ના રોજ ભગવાનના અવતાર કાર્યો, તા. 23ના રોજ કૃષ્ણ પ્રાગટ્ય અને નંદ ઉત્સવ, તા. 24ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા. 25ના રોજ સુદામા ચરિત્ર અને તા. 26ના રોજ પરીક્ષિત મોક્ષ અને કથા વિરામ રહેશે.

- text

- text