મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઈને યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના શનાળા ગામની સીમ આવેલ વાડીએ યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકત શનાળા ગામે રહેતા મુકેશભાઇ કાનજીભાઇ કુંડારીયા (ઉ.વ.૪૨) એ ગત તા.૪ ના રોજ કોઇ કારણોસર પોતાની વાડીએ ગળેફાસો ખાઇ જતા તેમને પ્રથમ મોરબીની ક્રીષ્ના હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની એ ડિવિઝન પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text