- text
મોરબી : રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે સમગ્ર મોરબી જીલ્લાના અનેક રામભક્તોએ પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે આજે મોરબીના ઉદ્યોગગૃહ અજંતા ગૃપના પ્રવિણભાઈ ભાલોડિયાએ પરિવારજનોની હાજરીમાં આજે સર્વાધિક 51 લાખની નિધીનું સમર્પણ કર્યુ હતું.
- text
આ પ્રસંગે પ્રવિણભાઈની સાથે તેના પરિવારજનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીઆ, લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, રામનારાયણભાઈ દવે, કિશોરભાઈ ભાલોડિયા, મુકેશભાઈ ઉઘરેજા, હરજીવનભાઈ ઘોડાસરા, સુરેશભાઈ સોરીયા, શૈલેશભાઈ ઝાલરીયા, રમેશભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ સવસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ નિધી સમર્પણ માટે આનંદ સાથે દાતા પરિવારને રામભક્તિ માટે અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી.
- text