મોરબી : ખેતરમાં કામ કરતી વખતે વીજશોક લાગતા શ્રમિક મોત

- text


મોરબી : મોરબીના ગુંગણ ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજ શોક લાગવાથી ખેતમજૂરનું કરુણ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કૃષ્ણનગર-ગુંગણ ગામે રહેતા બચુભાઇ અલુભાઇ દેગામા (ઉ.વ.૫૫) નામના આધેડ ગઈકાલે તા.૧૭ ના રોજ ગુંગણ ગામની સીમમાં આવેલ પ્રદ્યુમનસિંહ પૃથ્વીરાજસિંહની વાડીમાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે ઇલેકટ્રીક શોર્ટ લાગતા ખેતમજૂર બચુભાઇ અલુભાઇ દેગામાનું કરૂણ મોત નીપજ્યું હતું. બાદમાં તેમનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text