- text
વાંકાનેર : વાંકાનેરમાં યુવા બારોટ સોશિયલ ગ્રુપ દ્વારા ગત તા. 7ના રોજ સમસ્ત બારોટ સમાજના સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ નાની બાળાઓ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવા બારોટ સોશિયલ ગ્રુપના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. તેમજ સમાજના વડીલો દ્વારા સમાજમા એકતાનો સંદેશ આપી નિયુક્ત થયેલ હોદેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌએ ભોજન લીધું અને સૌ ગરબાના તાલે ઝુમ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા યુવા બારોટ સોશિયલ ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
- text
- text