મોરબી અને હળવદમાં શિક્ષકોને કોરોના વેક્સીન અપાઈ

- text


આત્મનિર્ભર ભારતની કોવિડ – 19 વેકસીન મુકાવી ગર્વ અનુભવતા શિક્ષકો

મોરબી : કોરોનાકાળમાં ડોર ટુ ડોર સર્વેલન્સની મહત્વપૂર્ણ કામગીરી કરનાર પ્રાથમિક શાળાના શિક્ષકોને આજથી કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે જે અન્વયે આજે મોરબી અને હળવદ તાલુકાના શિક્ષકોને સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કરાયું હતું.

હાલ સમગ્ર ભારતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા સરકારી કર્મચારીઓને વેકસીન મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમુક લોકો કોવિડ – 19 વેકસીન વિશે ભ્રમણાઓ,અફવાઓ ફેલાવી રહ્યા છે,અમુક લોકોમાં વેકસીન વિશે ગેરસમજ જોવા મળી રહી છે,ભય જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના કાળમાં ડોર ટુ ડોર સર્વે,સર્વેલન્સની કામગીરીમાં અગ્રેસર રહયા છે એવા મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ – 19 ની રસી મુકાવી લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ ડી.વડસોલાએ વેકસીન લીધા બાદ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની આડ અસર જોવા મળેલ નથી. વેકસીનેશન બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રહ્યા બાદ મોરબી જિલ્લા કેળવણીનો ઇતિહાસ લખવાનું અને તાલીમ આપવાની કામગીરી તેઓ કરી રહ્યા છે અને વેકસીન લીધી હોવા છતાં કોઈ જ પ્રકારની તકલીફ થયેલ નથી, માટે દરેકે વેકસીન લઈને આરોગ્ય વિભાગની ટીમને પૂરતો સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.

- text

દરમિયાન મોરબી જિલ્લામાં કુલ 3600 પ્રાથમિક શિક્ષકોને ક્રમશ રસી આપવામાં આવશે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં 70 જેટલા પ્રાથમિક શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી હતી એ જ રીતે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ શિક્ષકો ઉપરાંત પંચાયતી કર્મચારીઓ અને તલાટી કમ મંત્રીને રસીકરણ કરવામાં આવ્યું હતું.

- text