વાંકાનેરમાં એલ. કે. સંઘવી વિદ્યાલયમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

- text


 

વાંકાનેર : ગત 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી એલ. કે. સંઘવી વિદ્યાલયમા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ ૨૫ જેટલા ચિત્રો, ૧૦૦ જેટલી વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ ક્વિઝ આપી અને શાળામાં ‘મતદાન જાગૃતિ’ અંગે રંગોળી કરી ઉજવણી કરી હતી. જેમાં મતદાન જાગૃતિ ક્વિઝ રુચિબેન, રિધ્ધીબેન દ્વારા યોજવામાં આવી હતી. રંગોળી સોનલબેન, પ્રિયંકાબેન અને દર્શનાબેનના માર્ગદર્શનથી બનાવાઈ હતી. ચિત્ર સ્પર્ધા સેજલબેન, ઉર્જાબેન વડે યોજાઈ હતી અને મતદાન જાગૃતિના અંગેના શપથ નમ્રતાબેન ચુડાસમાએ વિદ્યાર્થીઓ પાસે લેવડાવ્યા હતા. અને નિબંધ સ્પર્ધા બલભદ્રભાઈ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દર્શનાબેન જાનીના તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

- text