મોરબીમાં રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે

- text


મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર-મોરબીનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે તારીખ 10-01-2021ને રવિવારે સવારે 9થી બપોરના 1 વાગ્યાં સુધી કરવામાં આવશે.

વેચાણ માટે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ,કાળી માટીના વાસણો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે. કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ છે. તેમ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરે યાદીમાં જણાવેલ છે.

- text

- text