હળવદમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાય

- text


 

હળવદ : હળવદના દવે પરિવારના મોભી સ્વ.પ્રમોદભાઈ કે. દવેની તૃતીય પુણ્ય તિથિ નિમિતે તેમના પરિવારના સભ્યો દ્વારા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સહકારથી સ્લમ વિસ્તારના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં આશરે ૩૫૦ થી ૪૦૦ બટૂકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. અને સાથે સાથે હળવદ સ્થિત અંધ અપંગ અશક્ત ગૌમાતા માટે કાર્યરત શ્રી રામ ગૌશાળામાં આશરે ૩૦૦ ઉપરાંત ગૌમાતાને લીલો ઘાસચારો આપવામાં આવ્યો હતો. આમ દવે પરિવાર દ્વારા સદગતના આત્માના કલ્યાણાર્થે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું.આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યો અને દવે પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text