મોરબી જિલ્લા તિજોરી કચેરીથી પેન્શન મેળવતા પેન્શનરોએ આવકવેરાની વિગતો 31 જાન્યુ. સુધીમાં રજુ કરવાની રહેશે

- text


મોરબી : જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૫ (પાચ) લાખથી વધુ ચાલુ નાણકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આવકવેરાને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો, રોકાણ કર્યાના આધાર પુરાવાઓ, ઈન્કમટેક્ષ ગણતરી પત્રક, ભરવામાં આવેલ ઈન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા.૩૧-૦૧-૨૦૨૧ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતે મોકલવાની રહેશે.

રોકાણની વિગતો આધાર પુરાવા સમયમર્યાદામાં રજુ કરવામાં નહિ આવે તો આવકવેરાના નિયમોનુસાર ટીડીએસની કપાત કરી લેવામાં આવશે. પાનકાર્ડની નકલ રજુ નહી થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઈ શકશે નહી તેમ બી.કે.પાઘડાળ જિલ્લા તિજોરી અધિકારી મોરબીની યાદીમાં જણાવામાં આવેલ છે.

- text

- text