શનાળામાં કાલે શુક્રવારે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ યોજનાના લાભાર્થી ખેડુતોને આર્થિક સહાય અપાશે

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે

મોરબી : ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવતીકાલે તા. 25/12ના રોજ રાજય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગ રુપે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ યોજના અંતર્ગત લાભાર્થી ખેડુતોને સહાય વિતરણ કરવાનુ આયોજન મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કરવામા આવેલ છે. આ કાર્યક્રમ સવારે 10:30 થી 1:00 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, શક્ત શનાળા ખાતે યોજાશે. જેમાં મોરબી તાલુકાના કાર્યકર્તાઓએ હાજર રહેવા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text