મોરબીથી ધ્રોલ માવતરે જવા નીકળેલી પરિણીતા પુત્ર સાથે લાપત્તા

- text


મોરબી : મોરબીથી ધ્રોલ માવતરે જવા નીકળેલી પરિણીતા પુત્ર સાથે લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બહાદુરગઢ ગામે રહેતા સુરેશભાઇ તુલશીદાસ અગ્રાવત (ઉ.વ.૩૮) ના પત્ની કિર્તી ઉર્ફે કિરણબેન (ઉ.વ.૨૮) પુત્ર દેવ (ઉ.વ.૨) સાથે ગત તા. ૧૫ નવેમ્બરના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડમાં મોરબીથી ધ્રોલ તેના માવતરે જવા માટે નીકળી હતી. જેમાં તેના પતિએ એસ.ટી. ઇન્ટરસીટીમાં બન્નેને બેસાડેયા હતા. પરંતુ આ માતા-પુત્ર ધ્રોલ નહીં પહોંચતા હોવાનું માલુમ પડતા તેમના પરિવારજનોએ ઘરમેળે તપાસ કરી હતી. પરંતુ આ બન્ને માતા-પુત્રનો આજદિન સુધી પત્તો ન લગતા અંતે આજે તેમના પતિએ એ ડિવિજનમાં બન્નેની ગુમસુદા નોંધાવી છે. પોલીસે ગુમસુદા નોંધીને બન્નેની શોધખોળ હાથ ધરી છે.

- text

- text