મોરબીમાં ભંગારના ડેલામાં આગ

- text


 

મોરબી : મોરબીના ભડીયાદ રોડ ઉપર જંગલેશ્વર મંદિરની સામે ભંગારના ડેલામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ડેલામાં પ્લાસ્ટિકની વસ્તુઓ પડી હોય જેમાં ફટાકડાનો તણખો પડતા આગ ભભૂકી ઉઠી હતી. થોડા જ સમયમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેને પગલે ફાયર વિભાગ અને પોલીસની ટિમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

- text