વાંકાનેર : લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ પરપ્રાંતીય યુવકનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 11ના રોજ વાંકાનેર તાલુકામાં આવેલ લાલપર ગ્લોશી કોટેક્ષના લેબર ક્વાર્ટરમાં રામવીર અનાસીંગ રાજપૂત (ઉ.વ. 21, રહે-હાલ લાલપર ગ્લોશી કોટેક્ષ, મુળ રહે-ખકરઇ, તા-ત્રીલોકપુર, જી- અલીગઢ, રાજ્ય-યુપી)એ ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text