વાંકાનેર નગરપાલીકાના અધિકારીઓ અને સફાઈ કર્મીઓનું સન્માન કરાયું

- text


જીતુભાઈ સોમણીની ઉપસ્થિતિમાં સન્માનની સાથે મીઠાઈનું વિતરણ પણ કરાયું

વાંકાનેર : આજે શીતળા સાતમના પવિત્ર દિવસે જીતુભાઈ સોમાણી, પાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, કારોબારી ચેરમેન ઇન્દુભા જાડેજા તથા અન્ય આગેવાનો દ્વારા વાંકાનેર નગર પાલિકાના અધિકારીઓ સહિતના તમામ કર્મીચારીઓ અને સફાઈ કર્મીઓનું સન્માન કરી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ વાંકાનેરના લોકોને ભયંકર મહામારીમાંથી બચાવવા માટે કોરોના વોરિયર્સ તરીકે છેલ્લા પાંચ મહિનાથી પોતાની જાનની પરવા કર્યા વગર રાત-દિવસ કામગીરી કરનાર પાલિકાના કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવાનો હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

- text