મોરબી જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત પીએસઆઇનું કોરોનાથી મૃત્યુ

- text


નિવૃત પીએસઆઇ સી.એચ.શુક્લનું કોરોનાથી મૃત્યુ થતા પોલીસ બેડામાં ઘેરો શોક

મોરબી : મોરબી જિલ્લામાં હળવદ સહિતના પોલીસ મથકે ફરજ બજાવનાર પીએસઆઇ સી.એચ.શુક્લ અગાઉ નિવૃત થયા બાદ તેમને કોરોના અંતર્ગત ફરજમાં લીધા હતા. એ દરમિયાન તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારે ગતરાત્રે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સમગ્ર પોલીસ બેડામાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.મોરબી જીલ્લામાં એ ડિવિઝન તથા હળવદ સહિતના પોલીસ મથકમાં ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી ચૂકેલા પીએસઆઈ સી.એચ.શુક્લ સુરેન્દ્રનગરથી વર્ષ 2019માં નિવૃત થયા હતા. બાદમાં તેઓને કોવિડ 19 અંતર્ગત ફરીથી ફરજમાં લીધા હતા. એ દરિમયાન તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં પ્રથમ સુરેન્દ્રનગર બાદમાં રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે મિલનસાર સ્વભાવ અને સુમેળ ભર્યું વ્યક્તિત્વ ધરાવતા આ કોરોમાં વોરિયર્સનું દુઃખદ અવસાન થતાં પોલીસ સહિત તેમના પરિચિતોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

- text