શનાળા બાયપાસ રોડ ભકિતનગર સર્કલ પાસે ખાડાને કારણે વાહન ચાલકો હેરાન

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ ભકિતનગર સર્કલ ખાતે ઓવર બ્રીજનુ કામ ચાલુ હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. જ્યારે આ રોડ ઉપર મસમોટા ખાડાઓ વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ રોડ ઉપર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. તેથી, વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ઉપરાંત, વારંવાર ટ્રાફિકજામ થઈ જતો હોવાથી વાહન ચાલકો ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આથી સંબધિત તંત્ર આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા નક્કર કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

- text