મોરબી : ફળ-શાકભાજીના નાના વેચાણકારો માટે સરકારની યાદી

- text


મોરબી : સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારી વાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે. મોરબી જિલ્લાના ફળ અને શાકભાજીના નાના વેચાણકારો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે I khedut portl પર ૧૫/૦૮/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવા જેવા કે રેશનકાર્ડની નકલ, આધારકાર્ડ ની નકલ તથા સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે સમય મર્યાદામાં મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text