- text
તબીબી અધિકારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, હાલ સંપૂર્ણ સ્વસ્થ
મોરબી : અમદાવાદમાં ફરજ દરમિયાન સંક્રમિત થઈને મોરબી આવેલા તબીબી અધિકારીએ કોરોનાને મ્હાત આપી છે. આજે આ તબીબી અધિકારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
- text
અમદાવાદની કોવિડ સોલા સિવિલ હોસ્પિટલમાથી ફરજ બજાવી પરત ફરેલા અને કોરોના પોઝિટિવ જાહેર થયેલ મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ આજરોજ નેગેટિવ આવેલ છે. ડો. સંજય જીવાણી મોરબી તાલુકાના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.
ઉલ્લેખનીય છે કે તેઓ અમદાવાદથી આવીને અહીંની હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થઈ ગયા હતા. જેથી તેઓના સંપર્કમાં કોઈ આવ્યું ન હતું. આજરોજ તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવી જતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.
- text