ટંકારાના સજ્જનપર ગામે થયેલી મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


ટંકારા : ટંકારાના સજ્જનપર ગામે ભાઈઓના ભાગની જમીનના ડખ્ખામાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ગઈકાલે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે મારામારીની વળતી ફરિયાદ નોંધાવી હતી. ટંકારા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ટંકારાના સજ્જનપર ગામે બે પરિવારો વચ્ચે થયેલી મારામારીની વળતી થયેલી ફરિયાદની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ કાથળભાઇ હણ (રહે હાલ- લજાઇ ગામની સીમમા, ટંકારા મુળ- વાકાનેર કુંભારપરા) વાળાએ આરોપીઓ રાહુલભાઇ નારણભાઇ લામકા, નારણભાઇ ચોથાભાઇ લામકા, મેરાભાઇ નારણભાઇ લામકા, જગદિશભાઇ નારણભાઇ લામકા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૩ ના રોજ આશરે ચારેક વાગ્યાના અરસામા સજનપર ગામની સીમમા આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે આવી ગાળો આપી ફરીયાદી તથા સાહેદોએ ગાળો આપવાની ના પાડી હતી. જેથી, ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી તથા પોતાના હાથમા રહેલ લાકડીનો એક ધા નાકના ભાગે મારી ફેકચર કરી તેમજ આરોપીઓએ પાઇપ (લોખંડ) વડે ફરીયાદીને માથાના ભાગે મારી અને સાહેદ રણધીરભાઇને લાકડીના ધા મારી ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text