- text
ટંકારા : દેશમાં અચાનક સર્જાયેલી કોરોના વાયરસની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના પ્રાણની કે પરીવારની પરવાહ કર્યા વિના એક ફોનની ઘંટડીથી દોડી જતી GVK EMFI સંસ્થાની ઈમર્જન્સી 108 ધનવંતરી આરોગ્ય રથ તથા શ્રમયોગી એમ્બ્યુલન્સ મોરબી જીલ્લામા ખુણે-ખુણે પહોંચી તાત્કાલિક સારવાર માટેની સુવિધા સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવા સુધીની કાબિલેદાદ કામગીરી કરી રહ્યા છે. આથી, તેમની ટીમને આભારપત્ર આપવામાં આવેલ છે. ત્યારે સંસ્થાના નેજા હેઠળ કામ કરતા ડોકટર, પાયલોટ, લેબોરેટરી ટેક્નિશિયન, પેરામેડીક સહીતના સ્ટાફને એમએચયુ પ્રોજેક્ટ કો-ઓડીનેટર કલ્પેશ ચોહાણ અને મેનેજર હરેશ પરમાર દ્વારા કોરોના કહેરને લોકડાઉન વચ્ચે કપરી સ્થિતિમાં સામાન્ય લોકો સુધી સેવા પહોંચાડવા માટે થેન્કયુ લેટર અર્પણ કરવામાં આવ્યા હતા.
- text