મોરબીના જય ભવાની ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ

- text


મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને ભોજન માટે તકલીફ ના પડે તે હેતુથી જય ભવાની ગ્રુપ દ્વારા દેશળભગત હોલ ખાતે દરરોજ 1200 માણસોનું ભોજન બનાવવામાં આવે છે તથા તેને શહેરના પછાત વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે. તેમજ દરરોજ 50 માણસોને ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આમ, ગ્રુપ દ્વારા અનેક ગરીબોને માટે ભોજનની સેવા કરવામાં આવે છે. 

- text