મોરબીમાં હિન્દૂ-મુસ્લિમ એકતા કમિટી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રાશનકીટનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હિન્દૂ-મુસ્લિમ એકતા કમિટીના રહીમભાઈ દ્વારા આ જ આવાસોના રહીશોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આવાસોમાં મોટેભાગે એવો મજૂર વર્ગ રહે છે કે જેઓ રોજનું રોજ કમાઈને બે ટંકના ભોજનની વ્યવસ્થા કરે છે. પરંતુ હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી તેઓને મજૂરીની કમાણી થતી નથી. આથી, તેઓને ભૂખ્યા ના રહેવું પડે, તેમ વિચારી કોઈ મોટી સંસ્થા કે અન્ય લોકોની રાહ જોયા વિના તે જ આવાસમાં રહેતા રહીમભાઈએ પહેલ કરી રાશનકીટનું વિતરણ કર્યું હતું. જેના આ સરાહનીય કાર્યને લોકોએ બિરદાવ્યું હતું.

- text