મોરબી એસટી ડેપો 25 માર્ચ સુધી બંધ : તમામ બસ અને ડેપોની સઘન સફાઈ કરાઈ

- text


કાયમ મુસાફરોથી ધમધમતા મોરબી બસડેપોમાં નીરવ શાંતિ છવાઈ : ત્રણ કર્મચારીઓ સિવાય તમામ સ્ટાફને રજા

મોરબી : કોરોના વાઇરસને લઈને દરેક સરકારી તંત્ર દ્વારા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે ત્યારે હાલ જાહેર પરિવહન માટે ઘોરી નસ સમાન ગુજરાત માર્ગ પરિવહન વિભાગ (એસટી બસ)ની તમામ રૂટની સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

- text

હાલ તો આવનારી 25 તારીખ સુધી આ સેવા બંધ રહેશે તેવું જાહેર કરાયું છે. ત્યારે મોરબી એસટી ડેપોમાં પડી રહેલી તમામ બસોની સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરાઈ હતી. આ ઉપરાંત આખા બસ ડેપોને ધોઈને સેનીટાઇઝ કરાયો હતો. બસ માટેના વર્કશોપની પણ સઘન સાફસફાઈ કરવામાં આવી હતી. બસ ડેપોમાં કાર્યરત તમામ સ્ટાફને રજા પર રાખવામાં આવ્યા છે. માત્ર ડેપો મેનેજર દિલીપ શામળા, સુપરવાઇઝર બકા મારાજ સહિત ત્રણેક વ્યક્તિઓનો સ્ટાફ જ બસડેપો પર હાજર રાખવામાં આવ્યો છે. કાયમ મુસાફરોથી ધમધમતા બસડેપોમાં હાલ નીરવ શાંતિ છવાયેલી જોવા મળી રહી છે.

- text