મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા 16મીએ કોરોના સામે રક્ષણ આપતા ડોઝનું વિતરણ

- text


મોરબી : તાજેતરમાં કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલ છે. ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાય રહ્યાં છે. ધ આયુષ મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયા દ્વારા કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા, રોગ પ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેકિ આરસેનિકમ- આલ્બમ-૩૦ની સલાહ આપવામાં આવેલ છે. ત્યારે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ કલબ દ્વારા આગામી તા. 16ને સોમવારે સવારે 9 કલાકે નરસંગ મંદિર,રવાપર રોડ ખાતે નિ:શુલ્ક હોમિયોપેથીક ડોઝ આપવામાં આવશે. જેનો મોટી સંખ્યામાં લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text