મોરબીના યુવકે વડીલોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા હિતેશ કરશન સાવરિયાએ ગઈકાલે તા. 7 ફ્રેબ્રુઆરીનાં રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યના હેતુસર વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું. આ તકે તમામ વડીલોએ હિતેશભાઈને આશિષ આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. આમ, હિતેશભાઈએ વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text