મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શાકોત્સવ તથા એન્યુઅલ ડે ઉજવાશે

- text


મોરબી : મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આગામી તા. 8 ફેબ્રુઆરીના રોજ ગુરુકુળ ખાતે શાકોત્સવ તથા 7માં એન્યુઅવર્ષ લ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન ભારતવર્ષ પ્રદર્શની, સાંજે 5થી 9 વાગ્યા દરમિયાન ભારતવર્ષ ગૌરવગાથાનું આયોજન તેમજ 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન સાંજે 3થી 6 વાગ્યા દરમિયાન સુવર્ણપ્રાશન, રક્તદાન તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ સ્વામી દેવકૃષ્ણદાસ તથા અનેક સંતોની નિશ્રામાં યોજાશે તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના રાજકીય નેતાઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ તકે કાર્યક્રમોનો લાભ લેવા માટે ભાવિકજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text