મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ખુલ્લી ગટરથી તોળાતું જોખમ

- text


રોડની હાલત પણ બિસ્માર : તંત્રની કાર્યવાહીની રાહ જોતા લોકો

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ખુલ્લી ગટરોના કારણે જાનહાની થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સાથોસાથ બિસ્માર રસ્તાના કારણે પણ લોકો પીડાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીનો જુના રફાળેશ્વર રોડ ધમધમતો રહે છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા રહે છે. આ રોડ ઉપર અનેક ગટર ઢાંકણા વગરની ખુલ્લી છે. જેથી વાહનચાલકો ઉપર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. બીજી બાજુ આ રસ્તો પણ અતિ બિસ્માર હાલતમાં છે. ચોમાસા બાદ આ રસ્તાની હાલત અત્યંત કથળી જતા લોકો ત્રસ્ત થયા છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાકીદે કાર્યવાહી હાથ ધરાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

- text