મોરબીના આલાપ રોડ ઉપર વોકળા પર થયેલ દબાણ હટાવવા આમ આદમી પાર્ટીનું આવેદન

- text


મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર પાણીના નિકાલ માટેના વોકળા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવીને આમ આદમી પાર્ટીએ આ દબાણ હટાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આ આવેદનમાં જણાવાયું હતું કે આ વોકળાને રાજકીય ઓથ હેઠળ બુરી દેવામાં આવ્યો છે.ગત ચોમાસામાં ત્યાંના રહેવાસીઓના ઘરોમાં 2થી 5 ફૂટ પાણી ભરાય ગયા હતા. તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ જગ્યા ઉપર બિલ્ડીંગ વેસ્ટ મટિરિયલ્સ નાખી બિલ્ડીંગ વેસ્ટ મટિરિયલ્સ 2016નો ખુલ્લેઆમ અનાદર કરવામાં આવે છે. આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા 20મીથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

- text