મોરબી : દવાખાને દવા લેવા જવાનું કહીને પરિણીતા બે પુત્રીઓ સાથે લાપતા

- text


મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાસે આવેલ ઓએસીસ વીટ્રીફાઇડ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતી પરિણીતા તેની બે પુત્રીઓને લઈને ઘરે દવાખાને દવા લેવા જવાનું કહીને લાપતા બની છે. આ બનાવમાં તેના પતિએ ગુમસુદા નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાસે આવેલ ઓએસીસ વીટ્રીફાઇડ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા કમલસીંઘ પ્રહલાદસીંઘ ચૌહાણ (ઉ.વ.-૩૬) નામના શ્રમિકે પોતાની પત્ની પુજાબેન કમલસીંઘ ચૌહાણ (ઉ.વ.૨૭) અને તેમના બે બાળકો પુનમ (ઉ.વ.૦૪) અને બેબીકા (ઉ.વ. આશરે દોઢ વર્ષ) ગુમ થયાની નોંધ કરાવી છે. વધુ વિગતમાં જણાવ્યું હતું કે તા.૪ ના રોજ પુજાબેન કમલસીંઘ ચૌહાણ ઉ.વ.૨૭ તેમના બે બાળકો પુનમ ઉ.વ.૦૪ અને બેબીકા ઉ.વ. આશરે દોઢ વર્ષને સાથે પોતાના ઘરેથી દવાખાને દવા લેવા જવાનુ કહી જતી રહી છે. બાદમાં તેની શોધખોળ કરતા અજદિન સુધી પત્તો ન લાગતા અંતે તેના પતિએ ગુમસુદા નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

- text