મોરબી : ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા રવિવારે પાટીદાર કર્મચારીઓનું સંમેલન

- text


મોરબી : મોરબીમાં લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા પાટીદાર કર્મચારીઓના વિરાટ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન આગામી તા. 12 જાન્યુઆરીના રોજ રવિવારે સાંજે 3:00 થી 7:00 સુધી કરવામાં આવેલ છે. જે અંતર્ગત સ્નેહમિલન, સરસ્વતી સન્માન, વિશિષ્ટ સેવા સન્માન તથા રક્તદાન કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સરકારી, અર્ધસરકારી, સમગ્ર કડવા પાટીદાર કર્મચારીઓને સહ પરીવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, મોરબી શહેરમાં વસતા અને મોરબી ખાતે હાલમાં ફરજ બજાવતા તેમજ મોરબી બહાર વસતા અને મોરબી ખાતે ફરજ બજાવતા તથા મોરબી શહેરમાં વસતા કડવા પાટીદાર સમાજના તમામ સેવા નિવૃત (રીટાયર્ડ) કર્મચારીઓને સહપરિવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ જેઓ ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના સભ્યો હોય કે ન હોય તેવા તમામ કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નામની નોંધણી કરાવવી ફરજીયાત છે. જે માટે ભાણજીભાઈ આદ્રોજા (મો. 94272 36005) તથા ભવાનભાઈ કાગથરા (મો. 93750 25083)નો સંપર્ક કરવાનો રહેશે.

- text