મોરબીમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

- text


મોરબી : મોરબી નજીક સીરામીક કરખાનમાંથી સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી નજીક આવેલ સિરામિક ફેક્ટરીની મજૂર કોલોનીમાં રહેતી એક સગીરાને ઘનશયામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયા નામનો શખ્સ તા ૨૯ ના રોજ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text