મોરબી : પાડા પુલ પરથી ઝંપલાવનાર યુવકનું મોત

- text


વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા સમયે રસ્તામાં જ યુવકે દમ તોડ્યો

મોરબી : મોરબીના પાડા પુલ ઉપરથી એક યુવાને નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને મોરબી સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ યુવાનનું મોત નિપજયું હતું.

- text

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામના મહેશભાઈ રમેશભાઇ ચાવડા (ઉંમર વર્ષ 28) નામના યુવાને ગત તા.21ને શનિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં મોરબીના પાડાપુલ ઉપરથી પડતુ મૂક્યું હતું. બનાવની જાણ થતાં મોરબી બી. ડીવી. પોલીસ મથકના આઇ.ટી.જામ સહિતનાઓએ સ્થળ ઉપર પહોંચીને મહેશને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. જ્યાં વધુ સઘન સારવારની જરૂરિયાત જણાતા વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલે અને ત્યારબાદ રાજકોટ સારવારમાં લઇ જવાઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ મહેશભાઈ ચાવડાએ દમ તોડી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહેશભાઈ છેલ્લા થોડા સમયથી માનસિક અસ્થિર હોય એ બીમારીની દવા ચાલુ હતી. મૃતક મહેશભાઈ ચાવડા અપરણિત હોવાનું જાણવા મળ્યું છે.

- text