મોરબીમાં કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા 16મીએ ફ્રી રોગ નિદાન કેમ્પ

- text


મોરબી : શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા આ ગૌશાળામાં માંદી લાચાર અંધ વૃદ્ધ તથા કસાઈથી બચાવી સેવા કરવામાં આવે છે તથા નંદી વગેરે અસહાયકોની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર ગૌરક્ષા શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા તા.16/12/2019 ના રોજ
સવારે 9 થી 12 અને બપોરના 3 થી સાંજના 7 વાગ્યા સુધી નરસંગ ટેકરી મંદિર,રવાપર રોડ મોરબી ખાતે અસાધ્ય રોગો માટે ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

અસાધ્ય રોગોના ફ્રી નિદાન કેમ્પમાં ચામડીના રોગ,સોર્યાસીશ-જૂનું ખરજવું,જૂનું દાદર-સાંધાના દુખાવા,ઢીચણનો દુખાવો,કમરનો દુખાવો, હાથી પગા,ગેગરિંગ,વેરિકોઝવેન(નસમા સુજન), નપુંસકતા,અસાધ્ય સ્ત્રી રોગમાં વાળની સમસ્યાઓ CP ચાઈલ્ડ(અવિકસિત બાળક),DMD માંસ પેસીઓનો રોગ,પાતળા પણું,મોટાપો,કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી ,હૃદય ની નશોમાં બ્લોકેજ,અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે, આ ફ્રી નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે અને આ કેમ્પની વધુ વિગતો માટે કેશવજીભાઈ ઠોરિયાનો મો. 9712399990 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text