રફાળેશ્વર નજીક અજાણ્યા યુવકની લાશ મળી આવી : હત્યાની આશંકા

- text


મોરબી : રફાળેશ્વર જીઆઇડીસીમાંથી વહેલી સવારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી ગયો છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર વહેલી સવારે રફાળેશ્વર જીઆઇડીસીમાં કોઈ અજાણ્યા અંદાજે 25થી 30 વર્ષની ઉંમરના યુવકની લાશ પડી હોવાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

- text

પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકના બોડી પર ઇજાના નિશાનો પરથી કોઈ અનુમાન લગાવવું શક્ય નહિ જણાતા બોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પીએમ બાદ મોત કઈ રીતે થયું તેનું સ્પષ્ટ કારણ જાણી શકાશે એવું તાલુકા પો.મથકના પીઆઇ જાડેજા સાહેબે જણાવ્યું હતું. મૃતકે પહેરેલ કપડાં અને શારીરિક બાંધો જોતા મૃતક શ્રમિક હોવાનું તેમજ પરપ્રાંતીય હોવાનું જણાઇ રહ્યું છે. મૃતક નજીકથી તેની ઓળખ થઈ શકે એવા કોઈ પુરાવા મળ્યા ન હોવાથી પહેલા તો પોલીસે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

- text