મોરબીના નાગલપર ગામે પરિણીતાએ વિષપાન કરતા મોત

- text


મૃતકના પિતાના, જમાઈ સામે પુત્રીને ત્રાસ આપતા હોવાના આક્ષેપો બાદ તપાસ શરૂ

મોરબી : મોરબીના નાગલપર ગામે રહેતી દેવીપુજક પરિણીતાએ તેના ઘેર ઝેરી જંતુનાશક દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા રવજીભાઇ વાલાભાઈ જખણીયા દેવીપુજકના પત્ની હીરીબેન (ઉંમર ૨૨)એ રવજીભાઇની સાથે ભાગીને બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. હાલ રવજીભાઈ સાથે છેલ્લા બે વર્ષથી રહેતા હોય તેમના લગ્નજીવનથી તેઓને સાત માસનો અરજણ નામનો પુત્ર છે. દરમિયાનમાં ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં હીરીબેન જખાણીયાએ તેના ઘેર ઝેરી જંતુનાશક દવા પી લેતા તેણીનું મોત નીપજયું હતું. બનાવ બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલે પી.એમ.માટે ખસેડીને મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. હીરીબેન રવજીભાઈના બીજા પત્ની છે તેઓનો લગ્નગાળો બે વર્ષનો છે. આ બનાવની ડીવાયએસપી જે.એમ.આલે તપાસ હાથ ધરી છે. જોકે જાણવા મળ્યા મુજબ મૃતક હીરીબેનના પિતાએ મૃતકના પતિ રવજી વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે તેના ત્રાસના કારણે જ મારી દીકરીએ અંતિમ પગલું ભર્યું છે. આ બનાવમાં પતિ વિરુદ્ધ મરવા માટે મજબૂર કર્યાનો ગુન્હો પણ નોંધાય તેવું જાણવામાં આવી રહ્યું છે.

- text

- text