હળવદ તાલુકાના સૂર્યનગર ગામે કોથળામા બાંધેલી લાશ મળી આવી

- text


પી.આઈ સંદીપ ખાંભલા સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે : હત્યાની આશંકા

હળવદ: હળવદ તાલુકાના સૂર્ય નગર ગામ પાસે આવેલ બ્રાહ્મણી -બે ના ડેમ કાંઠેથી કોઈ અજાણી કોથળામાં બાંધેલી લાસ મળી આવી છે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે જોકે મૃતદેહને કોથળામાં થી મળી આવતા હત્યાની આશંકા હોવાનું જાણવા મળી રહ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સૂર્ય નગર ગામ પાસે આવેલ બ્રાહ્મણી- બે ના કાંઠે આવે ભઠ્ઠી વાળા ઓકરા પાસે પાણી મા કોથળામાં અને ગોદડા વીટેલી હાલતમાં એક લાશ તરતી હોવાનું ગ્રામજનોને ધ્યાને આવ્યું હતું જેથી ગામના વજુભાઈ સરપંચ એ હળવદ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે જોકે કોથળામાંથી લાશ મળી આવવાના બનાવને પગલે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા છે

- text

મૃતદેહન કોથળામાં ભરેલો હોય અને ફરતાં ગોદડા વીતેલા હોય તેમજ મૃતદેહને એક વજનવાળી વસ્તુ પણ કોથળામાં ભરેલ હોય જેથી હત્યા થઇ હોવાની આશંકા વર્તાઈ રહી છે જોકે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

આ અંગે પી.આઈ સંદીપ ખાંભલાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃતદેહ પુરુષ નો હોવાનું જણાઈ આવે છે તેમજ હત્યા કે આત્મહત્યા તેમ સહિતની તપાસ હાલ ચાલુ છે

- text