મોરબીના પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન – સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન તેમજ સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા ત્યારે પરશુરામ ધામની અંદર આર્થિક રીતે સહયોગ આપનારા દાતાઓ તેમજ અવિરત સેવા આપતા સેવાભાવીઓનું સાલ ઓઢાડીને પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી પરશુરામ ધામ મંદિરના ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, જગદીશભાઈદવે, નલિનભાઈ ભટ્ટ, મહેશભાઈ ભટ્ટ, બળવંતભાઈ પંડ્યા, બી.કે.લહેરુ, ધ્યાનેશભાઈ રાવલ, નીરજભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

- text