માળિયાના વીરવદરકા ગામે સગીરાનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


માળિયા : માળિયાના વીરવદરકા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની મળતી વિગત અનુસાર વીરવદરકા ગામે રહેતી આઈનાબેન ઉ.વ. 16એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હાલ માળિયા પોલીસે આ બનાવની નોંધ કરીને સગીરાના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.

- text