- text
મોરબી : પોષણ અભિયાનના ઉપલક્ષ્યમાં મોરબીના વણકરવાસમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હાલ ગુજરાતમાં પોષણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તારીખ પહેલી સપ્ટેમ્બરના રોજ પોષણ દિવસની ઉજવણી મોરબીના વણકરવાસની આંગણવાડીમાં કરવામાં આવી હતી. વણકરવાસની આંગણવાડીમાં પહેલી સપ્ટેમ્બરે આ અભિયાનના પ્રસંગે નગરપાલિકાના ચેરમેન ભાનુબેન નગવાડિયા તેમજ સુપરવાઈઝર રાજેશ્વરીબહેને ખાસ હાજરી આપી હતી.
- text