ખોખરા-હનુમાનજી ધામ ખાતે શિવ કથાના સમાપન પ્રસંગે અમાસના દિવસે મહાપ્રસાદનું આયોજન

- text


મોરબી : ખોખરા હનુમાનજી ધામ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ કથા-સારસ્વત સત્સંગધારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના સમાપન સમારોહ પ્રસંગે
ધર્મપ્રેમી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આયોજીત શિવકથા તથા સારસ્વત સત્સંગધારાના સમાપન સમારોહ અંતર્ગત મહાપ્રસાદના આયોજનમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સદગુરુ પરિવાર-મોરબી, શ્રી ખોખરા હનુમાનજી ધામ સેવા સમિતિ તથા સમગ્ર શ્રાવણ માસના ભોજન મહાપ્રસાદના તમામ 45 યજમાનો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં પૂજ્ય માંનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવનાર છે.

- text

તારીખ 30/08/2019ને શુક્રવાર, અમાવસ્યાના દિવસે આયોજિત આ કાર્યક્રમમાં સવારે 9.30 કલાકે ધર્મસભાનું આયોજન તેમજ બપોરે 12.00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ખોખરા હનુમાનજી ધામ, બેલા-ભરતનગર રોડ ખાતે ભવિકજનોને આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકોની એક યાદીમાં જણાવાયું છે.

- text