વાંકાનેર : પરણીતાના આપઘાત કેસમાં પતિ સામે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો

- text


મૃતકની માતાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ઝૂંપડામાં રહેતી પરણીતાએ થોડા દિવસો પહેલા આપઘાત કર્યાના બનાવમાં આજે મૃતકની માતાએ પોતાના જમાઈ સામે પોતાની પુત્રીને ત્રાસ આપી મારવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.જેના આધારે વાંકાનેર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેકોલ સીરામીક કારખનાની નજીક આવેલ ઝુંપડામાં રહેતી હેમાબેન ભરતભાઇ સાઢમીયા નામની પરણીતાએ ગતતા.8 ઓગસ્ટના રોજ પોતાના ઝૂંપડામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.બાદમાં આ બનાવ અંગે મૃતકની માતા પંખુબેન શંભુભાઈ દેવીપૂજકએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરી હેમાબેનના આશરે દશ વર્ષ પહેલાં ભરતભાઇ મનજીભાઈ સાઢમીયા સાથે લગ્ન થયા હતા અને છેલ્લા બે વર્ષથી તેનો પતિ તેમની દીકરીને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા આ ત્રાસ સહન ન થતા પરણીતાએ આપઘાત કરી લીધો હતો અને તેણીના પતિએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text